બજાર જોખમ, ઇક્વિટી ફંડને અસર કરતું પ્રાથમિક જોખમ છે. સમગ્ર શૅરબજારને અસર કરતાં વિભિન્ન કારણોને લીધે, જામીનગીરીઓનાં મૂલ્યમાં નુકસાન થવાનું જે જોખમ રહેલું છે, તે જોખમને બજાર જોખમ કહેવાય છે. તેથી બજાર જોખમને સિસ્ટમેટિક રિસ્ક (તંત્રગત જોખમ) તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે એવું જોખમ જેને વહેંચી દઇને દૂર કરી શકાય નહીં.
બજાર જોખમ માટે ઘણાં પરિબળો જવાબદાર હોઇ શકે છે, જેવાં કે મેક્રોઇકોનોમિક વલણો, વૈશ્વિક આર્થિક કટોકટી, ભૂરાજકીય તંગદિલી અથવા નિયમનકારી ફેરફારો પણ. બજાર જોખમમાં સૌથી મોટો ભાગ ભજવનારું અને ઇક્વિટી ફંડ પર અસર કરનારું જે જોખમ છે, એ છે ઇક્વિટી કિંમતનું જોખમ. જ્યારે બજાર તૂટે છે ત્યારે તમામ શૅરના ભાવને અસર થાય છે, જેને પરિણામે ઇક્વિટી ફંડની કામગીરી પર અસર થાય છે. બજાર જોખમ માટે જવાબદાર જે સ્રોતો આગળ જણાવ્યા છે તે ઉપરાંત, તેને માટે કારણભૂત પરિબળોમાં એક
વધુ વાંચો