રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર

તમારા નિવૃત્તિ ફંડનું ભવિષ્યનું બેલેન્સ અંદાજો.

વર્ષો
વર્ષો
વર્ષો
%
%
%
નિવૃત્તિ પછી તરત જ આવશ્યક વાર્ષિક આવક
નિવૃત્તિ પછી માટે આવશ્યક કુલ કોર્પસ
કોર્પસ એકત્રિત કરવા માટે આવશ્યક માસિક બચત

અસ્વીકરણઃ

ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકી શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.
કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.

એમએફએસએચ રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર

રિટાયરમેન્ટ પ્લાનિંગ દરેક કામ કરતી વ્યક્તિ માટે મહત્ત્વપૂર્ણ હોય છે. રિટાયરમેન્ટ પ્લાનિંગ બનાવવાની પ્રક્રિયા આવકના સ્ત્રોત ઓળખવા, અરકારક બચત યોજના પૂર્ણ કરવા, ભંડોળની આવશ્યક રકમનો અંદાજલગાવવો અને તમારી આવકના હિસ્સાનું વિભિન્ન સંપત્તિઓમાં રોકાણ કરવાની સમાવેશ કરે છે.

જો કે, અઘરો ભાગ એ છે કે મજબૂત નિવૃત્તિ જીવન માટે યોગ્ય ગણતરી કરવી અને તમારા રોકાણમાંથી વળતરનો અંદાજ લગાવવો છે. નિવૃત્તિનું કેલ્ક્યુલેટર આવશ્યક હોય એવા નિવૃત્તિનાં કોર્પસને અને તેને પ્રાપ્ત કરવા માટે તમારે કેટલી બચત અથવા રોકાણ કરવાની આવશ્યકતાને સમજવા માગતા લોકો માટે ઉપયોગી નિવડી શકે છે.

રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે ?

રિટાયરમેન્ટ પ્લાનિંગ નિવૃત્તિ માટે યોગ્ય નાણાં વ્યવસ્થા તૈયાર કરવી છે. રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરતી વખતે તમારે ફુગાવો ધ્યાનમાં લેવાની, નિવૃત્તિ પછીના ખર્ચનો અંદાજ લગાવવાની, નિવૃત્તિની સમયસીમાનો અંદાજ લગાવવાની, જોખમની આકારણી કરવી અને સમજદારીપૂર્વકનું રોકાણ કરવાની જરૂર હોય છે.

આ ઉપરાંત, આયુષ્ય અપેક્ષા વધવાની સાથે તમારી નોકરીમાંથી નિવૃત્તિ પછી ભંડોળને સુરક્ષિત કરવું એ આવશ્યક છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હેમાંથી રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર તમને નિવૃત્તિ પછી આવશ્યક હોય તેટલા ભંડોળની રકમની અને નિવૃત્તિ પહેલા તથા પછી રોકાણ પર તમે કેટલું વળતર મેળવી શકો છો તેની આકારણી કરવામાં સહાય કરી શકે છે.

એમએફએસએચ રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર શું છે ?

એમએફએસએચ રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટર એક એવું ઓનલાઇન યુટિલિટી ટુલ છે, જે તમને તમારી નિવૃત્તિ પછી તમને આવશ્યક હોય તે નાણાંની રકમ દર્શાવે છે. તે તમને તમારે એકત્રિત કરવાની જરૂર હોય એવા નિવૃત્તિ કોર્પસને આધારે તમારા રોકાણ પ્લાન માટે પણ સહાય કરે છે.

તે બે પ્રાથમિક રીતે ઉપયોગી થઈ શકે છે, અને તે છે:

1. તે તમને તમે હાલમાં જે જીવનશૈલીથી જીવન જીવો છો તેને જાળવવા માટે તમારી નિવૃત્તિ પછી તમને આવશ્યક નાણાં દર્શાવે છે.

2. તે તમને તમારા રોકાણનાં વળતરનો અને તમારા નિવૃત્તિના કોર્પસને એકત્રિત કરવા માટે તમારે કેટલા રોકાણની આવશ્યકતા છે તેનો અંદાજ લગાવવામાં સહાય કરી શકે છે.

રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર કેવી રીતે કાર્ય કરે છે ?

એમએફએસએચ રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટર ફોર્મ્યુલા બોક્સ ધરાવે છે, જ્યાં તમે તમારી પ્રવર્તમાન વય, તમારી નિવૃત્તિની વય, આયુષ્યની અપેક્ષા, અને નિવૃત્તિ પછી તમને આવશ્યક માસિક આવક દાખલ કરવાનું પસંદ કરી શકો છો. તમારે અંદાજિત ફુગાવાનો દર, રોકાણ પર અપેક્ષિત વળતર અને જો તમે હાલમાં કોઇ બચત ધરાવતા હોય તો તેને પણ પસંદ કરવાનું રહેશે.

આ વિગતો દાખલ કર્યા પછી, કેલ્ક્યુલેટર તમને નિવૃત્તિ પર તમને આવશ્યક વાર્ષિક આવક અને આ કોર્પસ હાંસલ કરવા માટે તમારે કરવાની જરૂર હોય એવી માસિક બચતને દર્શાવશે.

એમએફએસએચ રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો ?

તમે માત્ર થોડા પગલાંઓની સાથે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો અને આ પગલાં નીચે આપવામાં આવ્યા છે:

પગલું 1: તમારી હાલની વય દાખલ કરો.

પગલું 2: તમારી ઇચ્છિત નિવૃત્તિની વય દાખલ કરો.

પગલું 3: તમારું અપેક્ષિત આયુષ્ય પસંદ કરો.

પગલું 4: તમારી નિવૃત્તિના વર્ષોમાં તમને જરૂર હોય એવી માસિક આવક દાખલ કરો.

પગલું 5: દેશમાં અંદાજિત ફુગાવાનો દર દાખલ કરો.

પગલું 6: નિવૃત્તિ પૂર્વેના રોકાણ પર અપેક્ષિત વળતર દાખલ કરો.

પગલું 7: નિવૃત્તિ પછીનાં રોકાણ પર અપેક્ષિત વળતર દાખલ કરો.

પગલું 8: નિવૃત્તિ માટે બાજુ પર મૂકેલી કોઇ હાલની બચત અથવા રોકાણ દાખલ કરો.

આ વિગતો પૂરી પાડીને, તમે કેલ્ક્યુલેટર ડિસ્પ્લે જોઇ શકો છે:

  • • નિવૃત્તિ પછી જરૂરી વાર્ષિક આવક.
  • • એકત્રિત કરવાની જરૂર હોય એવું વધારાનું ભંડોળ.
  • • આવશ્યક કોર્પસ એકત્રિત કરવા માટે આવશ્યક માસિક બચત.

એમએફએસએચ રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના લાભ

આ રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના પ્રાથમિક લાભ છે:

તે નિવૃત્તિ માટે બચત કરવામાં સહાય કરે છે: નિવૃત્તિ માટે બચતની શરૂઆત 20 અને 30ના દાયકાની વયથી શરૂ કરવી જોઇએ. કેલ્ક્યુલેટર વ્યક્તિઓને તેમના આવશ્યક ભંડોળને અને એક નિશ્ચિત સમયરેખામાં તેને કેવી રીતે જમા કરવા તે જણાવીને તેમના માટે વહેલી બચત અને રોકાણને સ્થાપિત કરે છે.

નિવૃત્તિ પછી આવશ્યક અંદાજિત ભંડોળને જાણવામાં સહાય કરે છે: એ અંદાજ મેળવવો મુશ્કેલ છે કે તમને તમારા નિવૃત્તિનાં જીવન માટે ચોક્કસ કેટલી જરૂર પડશે અને આ કેલ્ક્યુલેટર આ અંદાજની સરળતાથી ગણતરી કરે છે. આ ઉપરાંત, તે તમને આપેલી સમયસીમાની અંદર એકત્રિત કરવાના રહેતા અંદાજિત કોર્પસ માટે હાલના સમયમાં કેટલું રોકાણ કે બચત કરવાની આવશ્યકતા હોય છે તે પણ જણાવે છે.

તે નિવૃત્તિમાં વધારાના ખર્ચનો પ્લાન બનાવવા માટે પણ મદદ કરે છે: જો તમારી નિવૃત્તિમાં વધારાનો ખર્ચ થશે તો તમે તેની યોજના અગાઉથી ઘડી શકો છો અને તૈયાર રહી શકો છો, કારણ કે તમે નિવૃત્તિનાં જીવનના ખર્ચને અગાઉથી જાણો છો.

વાંરવાર પૂછવામાં આવતા પ્રશ્નો

પ્રશ્ન 1. મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટર શું છે?

એમએફએચએચ રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર એક એવું ઓનલાઇન ટુલ છે, જે તમને તમારી નિવૃત્તિ પછી તમને આવશ્યક હોય એવી કોર્પસની રકમનો અંદાજ મેળવવામાં સહાય કરે છે.

પ્રશ્ન 2. એમએફએસએચ રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટર કેવી રીતે કાર્ય કરે છે?

આ કેલ્ક્યુલેટર તમારી નિવૃત્તિ પછી આવશ્યક રકમની ગણતરી કરવા માટે ફોર્મ્યુલા બોક્સનો ઉપયોગ કરે છે.

પ્રશ્ન 3. રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટરમાં મારે કઈ વિગતો પૂરી પાડવાની જરૂર હોય છે?

તમારે તમારી હાલની વય, અપેક્ષિત આયુષ્ય, નિવૃત્તિ પછી તમને જરૂર હોય એટલી માસિક આવક, તમારો અંદાજિત વળતરનો દર અને ફુગાવાનો દર પૂરો પાડવાની આવશ્યકતા હોય છે.

પ્રશ્ન 4. મારી નિવૃત્તિ માટે કોર્પસ એકત્રિત કરવા માટેની એવી કેટલીક કઈ રોકાણના માર્ગોની ભલામણો છે?

તમે ઇક્વિટી રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ્ઝ, બોન્ડ્ઝ, પીપીએફ અને નેશનલ પેન્શ સ્કિમવગેરેને પસંદ કરી શકો છો.

પ્રશ્ન 5. શું રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર ચોક્કસ હોય છે?

રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટર ગણતરીઓ માટે ચોક્કસ હોય છે. જો કે, ધ્યાનમાં રાખવા જેવા કેટલાક પરિબળો છે, જેવા કે તમારા રોકાણનું જોખમ, અણધારી આકસ્મિકતાઓ વગેરે.