ડેટ ફંડ્ઝ આપણા નાણાંનું રોકાણ વ્યાજ વેઠતી જામીનગીરીઓ જેવી કે બોન્ડ્સ અને નાણાં બજારનાં સાધનોમાં કરે છે, જે નિયમિત વ્યાજની ચુકવણી કરવાનું વચન આપે છે. આ વ્યાજની ચુકવણી ફંડ્ઝ દ્વારા પ્રાપ્ત થાય છે, જેના બદલામાં તે ફંડના રોકાણકાર તરીકે આપણને પ્રાપ્ત થનારા કુલ વળતરમાં યોગદાન આપે છે. જ્યારે બજારમાં વ્યાજદર બદલાય છે ત્યારે બોન્ડ્સ અને નાણાં બજારનાં સાધનો જેવી નિશ્ચિત આવકની જામીનગીરીઓની કિંમતો પણ બદલાય છે, પરંતુ તે વિરુદ્ધ દિશામાં જાય છે. જ્યારે વ્યાજદર વધે છે ત્યારે આ અસ્કયામતોની કિંમતો ઘટે છે અને જ્યારે વ્યાજદર ઘટે છે ત્યારે કિંમતો વધે છે. તેથી ડેટ ફંડ્ઝની એનએવી આ જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર સાથે બદલાય છે. એનએવીમાં ફેરફાર આ ફંડ્ઝ દ્વારા સર્જાતા કુલ વળતરને અસર કરે છે.
વ્યાજદરમાં થતા ફેરફાર ઉપરાંત બોન્ડ્સનાં ક્રેડિટ રેટિંગમાં થતા ફેરફાર ડેટ ફંડ્ઝમાંથી મળતા વળતરને પણ અસર કરી શકે
વધુ વાંચો